તા.૨૯/૦૬/૨૦૨૬ -: અખબાર યાદી :- રોગચાળા અટકાયતી માટે (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) દરમ્યાસન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી મચ્છરજન્ય રોગચાળા અટકાયતી કામગીરી ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થ ળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્યતંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૫૦૮૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૭૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે. ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૬૨ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂગલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૧૭ અને કોર્મશીયલ ૪૩૯ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે. મચ્છરજન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) તા.૦૧/૦૧/૨૦૨૬ થી વર્ષમાં કૂલ નોંઘાયેલ મેલેરિયા ૧ ૭ ડેન્ગ્યુ ૦ ૧૮ ચિકુનગુનિયા ૦ ૧ અન્ય રોગચાળાની કેસની વિગત (તા.૨૨/૦૬/૨૦૨૬ થી તા.૨૮/૦૬/૨૦૨૬) વિગત કેસની સંખ્યા તા.૦૧/૦૧/૨૦૨૬ થી વર્ષમાં કુલ નોંઘાયેલ શરદી – ઉધરસના કેસ ૫૭૧ ૧૯૧૬૨ સામાન્ય તાવના કેસ ૫૬૪ ૧૭૮૪૫ ઝાડા – ઉલટીના કેસ ૨૦૩ ૬૬૭૮ ટાઈફોઈડ તાવના કેસ ૦ ૨૦ કમળો તાવના કેસ ૧ ૩૩ મરડાના કેસ ૦ ૦ કોલેરા ૦ ૦ પાણીજન્ય રોગ અટકાયતી પગલાના ભાગરૂપે કુલ ૧૩૯૭ કલોરીન ટેસ્ટ કરવામાં આવેલ છે. યાદ રાખો… આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, રોગ મુકત રાજકોટ આરોગ્ય અધિકારી રાજકોટ મહાનગરપાલિકા