રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ -: અખબારી યાદી:- રાજકોટ મહાનગરપાલિકાને મિલ્કતવેરા અને પાણી વેરાની વસુલાતમાં મળ્યો ઉત્સાહજનક પ્રતિસાદ તા.૩૦ જૂન, ૨૦૨૬ સુધી રૂ.૨૪૫.૪૫ કરોડની આવક: કુલ-૩.૪૪ લાખથી વધુ કરદાતાઓએ સમયસર વેરો ભરી યોજનાનો લાભ મેળવ્યો રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં આપેલ માહિતી તારીખ:૦૩-૦૭-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલ્કતવેરા તથા પાણી વેરાની વસુલાતની કામગીરી તા. ૦૭-૦૪-૨૦૨૬થી શરૂ કરવામાં આવી હતી. શહેરના કરદાતાઓએ સમયસર વેરાની ભરપાઈ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કરદાતાઓના સકારાત્મક સહકારને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વસુલાતને ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. તા. ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં કુલ ૩,૪૪,૨૫૫ કરદાતાઓ દ્વારા અંદાજે રૂ. ૨૪૫.૪૫ કરોડની માતબર વેરા વસુલાત નોંધાઈ છે. આ વસુલાતમાં ડિજિટલ સેવાઓનો વ્યાપક સ્વીકાર પણ નોંધાયો છે. કુલ વસુલાત પૈકી ૨,૬૯,૧૨૦ કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી રૂ. ૧૭૭.૬૦ કરોડની વેરા ભરપાઈ કરી છે. જ્યારે ૭૫,૧૩૫ કરદાતાઓએ ચેક તથા રોકડ મારફતે રૂ. ૭૫.૩૫ કરોડની ભરપાઈ કરી છે. આ આંકડાઓ દર્શાવે છે કે રાજકોટના નાગરિકો ઓનલાઈન સેવાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે અને ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાઓને આપવામાં આવતી ડિસ્કાઉન્ટ યોજનાનો પણ નોંધપાત્ર લાભ મળ્યો છે. તા. ૩૦-૦૬-૨૦૨૬ સુધીમાં કુલ રૂ. ૨૭.૧૨ કરોડ જેટલી ડિસ્કાઉન્ટની રકમ કરદાતાઓને આપવામાં આવી છે. આ યોજના દ્વારા સમયસર વેરો ભરવા માટે નાગરિકોને પ્રોત્સાહન મળ્યું છે તેમજ મહાનગરપાલિકાને પણ વર્ષના પ્રારંભિક તબક્કામાં જ નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ઓનલાઈન વેરા ભરપાઈ, વિવિધ નાગરિક સુવિધા કેન્દ્રો, બેન્કિંગ વ્યવસ્થા સહિત સરળ અને પારદર્શક વસુલાત વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે શહેરના નાગરિકોએ સરળતાથી વેરાની ભરપાઈ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી ડૉ. નેહલ શુકલ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં શહેરના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. (જન સંપર્ક અધિકારી) રાજકોટ મહાનગરપાલિકા July 3, 2026 No Comments
રાજકોટ મહાનગરપાલિકા ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ – ૩૬૦ ૦૦૧ અખબારી યાદી તા. 3-07-2026 રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 90 પેઢી તથા રેસ્ટોરન્ટ ની તપાસ કરતાં નીચે મુજબ 5 પેઢીને સીલ કરેલ. કુલ 1094 Kg અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ 26 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.1,24,700/- ની પેનલ્ટી વસૂલવામાં આવેલ. 1) ખોડીયાર ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં-3 મવડી ગામ બાયપાસ, મવડી વન બિલ્ડીંગ ની પાછળ, રાજકોટ મુકામે આવેલ “રજેશન ફૂડ પ્લાનેટ (બેકર્સ એન્ડ કેટરર્સ)” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી/એક્સપાયર્ડ/જીવાત, મંકોડા, ફૂગ વાળો ખોરાક, આઇસ્ક્રીમ, બેકરી રો મટીરીયલ, બ્રાઉની, ચોકલેટ, કપ કેક, મીઠાઈ, બટર, ચીઝ વિગેરે કુલ મળીને અંદાજિત 186 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આવેલ તેમજ સ્થળ પર થી (1)વેનીલા આઇસ્ક્રીમ(લૂઝ) (2)કેક ક્રીમ પાઈનેપલ નો નમૂનો લેવામાં આવેલ. 2) સાધુ વાસવાણી રોડ, અવધ કોમ્પ્લેક્સ સામે, રાજકોટ મુકામે આવેલ “ઓમ ફેમિલી રેસ્ટોરન્ટ” પેઢીને સીલ કરવામાં આવેલ. સ્થળ પર આશરે અનહાઈજેનિક કન્ડિશનમાં વાસી અખાદ્ય મંચૂરિયન, બાંધેલો વાસી લોટ, ગ્રેવી, લેબલ વગરના બટર પનીર કુલ મળીને અંદાજિત 20 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. આવેલ તેમજ સ્થળ પર થી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. 3) ભિલવાસ ચોક,જનસતા પ્રેસ, સદર રાજકોટ મુકામે આવેલ “નકલંક દુગ્ધાલય” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. 4) મોરબી રોડ,પુલ નીચે, સેટેલાઈટ ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ “પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા” પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીને રૂ.10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ. તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. 5) 13/5 પોપટપરા, રાજકોટ મુકામે આવેલ “રાધિકા ડેરીફાર્મ “પેઢીમાં સ્થળ પર અનહાઈજેનિક કન્ડિશનમાં સ્ટોરેજ તથા ઉત્પાદન થતું જોવા મળેલ. પડતર પડેલ/વાસી માવો, વનસ્પતિ ફેટ, કુલ મળીને અંદાજિત 160 K.G. અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. અનહાઈજેનિક સ્ટોરેજ તેમજ અયોગ્ય લેબલિંગ ધ્યાને લઈ આશરે 450 kg મીઠો માવો સ્થળ પર કોલ્ડ સ્ટોરેજ સીલ કરી સ્થગિત કરવામાં આવેલ. તેમજ (1)મીઠો માવો લૂઝ અને થી (2)પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: રામ પાર્ક, મોરબી રોડ, સેટેલાઈટ ચોક પાસે, રાજકોટ પર આવેલ (1)શ્રીજી ડેરીફાર્મ માંથી 23 Kg મીકસ વાસી મીઠાઇ નો નાશ નાશ કરી રૂ.3,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી મીઠો માવો, મોળો માવો લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. (2)ખોડિયાર ડેરી માંથી 12 Kg એક્સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ નો નમૂનો લેવામાં આવેલ. (3)શ્રી ગેલમાં ડેરીફાર્મ માંથી 4 Kg એક્સપાયર વાસી ફરસાણ નો નાશ નાશ કરી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર લૂઝ તથા કેસરપીસતા શ્રીખંડ નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: જંકશન રેલ્વેસ્ટેશન ની સામે હોટલ એમબોય માંથી 31 Kg ડુંગળી, બટેટા, ટમેટા, લીંબુનો નાશ નાશ કરી રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી ગુરુનાનક હોટલ માંથી 5 Kg ચટણી નો નાશ કરેલ શીવ શક્તિ રેસ્ટોરન્ટ માંથી પ્રિપેર્ડ શાક નો નાશ કરેલ. મમતા રેસ્ટોરન્ટ માંથી બ્રેડના પેકેટ નો નાશ કરી રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. KNG નોનવેજ માંથી લોલિપોપ ચિકન નો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નાગોર ચોળાફરી માંથી 9 Kg અખાદ્ય ચટણીનો નાશ કરેલ. રોઝી પાણિપુરી માંથી અખાદ્ય પાણીનો નાશ કરેલ. બાપા સીતારામ પાઉંભાજી માંથી 9 Kg અખાદ્ય ચટણીનો નાશ કરેલ. ક્રિશ ફાસ્ટફૂડ માંથી 6 Kg અખાદ્ય મંચૂરિયન નો નાશ કરેલ. જૈન પાણીપુરી, જય ખોડિયાર રેસ્ટોરન્ટ, શ્રી બાલાજી રેસ્ટોરન્ટ, રાજસ્થાન રગડા પેટીસ & ભેળ, શ્રી બાલાજી રેસ્ટોરન્ટ પાઉંભાજી, સદગુરુ મોમોઝ & નાસ્તા, સીતારામ વડાપાઉં & દાબેલી, સીતારામ ફૂડ ઝોનને લાઇસન્સ બાબતે સૂચના આપેલ. અમ્રુત ડેરી, ગાયત્રી મદ્રાસ કાફે અમ્રુત રેસ્ટોરન્ટ, બાલાજી દાળપકવાન પેઢીની સ્થળ પર ચકાસણી કરેલ. મન્નત નોનવેજ & ચાઇનીઝ ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્રી રામ પરોઠા હાઉસ ને રૂ.200/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પર્વના રેસ્ટોરન્ટ ને રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. માં શક્તિ હોટલ ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. બજરંગ હોટલ ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સોનું નાસ્તા સેન્ટર ને રૂ.500/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. • સ્થળ: આજી વસાહત, આજી ઇન્ડસ્ટ્રીયલ A-2/5 રાજકોટ પર આવેલ કવીન્સ ફૂડ્સ & બેવરેજીસ પેઢીને નોટીસ આપેલ છે. પનીર તેમજ ચીઝ (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: મિલપરા શેરી નં. 26 રાજકોટ મુકામે આવેલ જય શ્રી ખોડિયાર દુગ્ધાલય પેઢીને નોટિસ આપેલ છે, તેમજ પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: રણછોડનગર પેડક રોડ, રાજકોટ પર આવેલ વિશાલ મિલ્ક પેઢી ને નોટિસ આપી રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. • સ્થળ: મવડી ચોકડી, મવડી રોડ પર આવેલ વરુડી ડેરીમાંથી 7 Kg લેબલ વગરના વાસી અખાદ્ય ફરસાણનો નાશ કરી રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ કાવ્યા પનીર લો ફેટ નું સેમ્પલ લેવામાં આવેલ. રાધેશ્યામ ડેરી માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: 150 ફૂટ રિંગ રોડ બિગ બજાર પાસે આવેલ સમૃધ્ધ ડેરી માંથી પનીર (લૂઝ) નો નમૂનો લઈ રૂ.2,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. • સ્થળ: બજરંગ વાડી, પટેલ જવેલર્સની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ પર આવેલ શ્રી ગાયત્રી ડેરીફાર્મ માંથી પનીર (લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ. • સ્થળ: પ્રેમ મંદિર પાસે, કાલાવડ રોડ, રાજકોટ પર આવેલ ઢોસા-પોડી પોઈન્ટ પેઢી ને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂ.1,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. • સ્થળ: રાણી ટાવર નીચે, કાલાવડ રોડ, રાજકોટ પર આવેલ હોટ & સ્પાઈસી પેઢીમાંથી માંથી 3 Kg વાસી અખાદ્ય બ્રેડ નો નાશ કરી રૂ.5,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે તેમજ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. ડેઝીગ્નેટેડ ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા July 3, 2026 No Comments
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ -: અખબારી યાદી:- રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ ખાતે ૧૮૨મી બોર્ડ બેઠક યોજાઇ તારીખ:૦૩-૦૭-૨૦૨૬ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૦૩-૦૭-૨૦૨૬ના રોજ ૧૮૨મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવામાં આવી. • સત્તામંડળ વિસ્તારમાં સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૩૯/૧(બેડી) અને સૂચિત કરાયેલ નગર રચના યોજના નં.૪૦/૧આણંદપર (નવાગામ)-સોખડાની નક્કી થયેલ હદમાં સુધારો કરવા મંજૂરી આપી. • ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧ (૧) હેઠળ સત્તામંડળની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૦/૨ આણંદપર(નવાગામ)-સોખડાબનાવવાનો ઇરાદો જાહેર કરવા અંગે મંજૂરી આપવામાં આવી. • તરઘડી ગામ થી બાઘીગામના રોડની બાકી રહેતી આશરે ૨.૫૦ કી.મી. લંબાઈમાં અંદાજીત રૂ.૬.૮૪ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવા મંજૂરી આપવામાં આવેલ. ચેરમેનશ્રી તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી તુષાર સુમેરા, જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજયભાઇ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, રિઝીયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલીટીના પ્રતિનિધિ તરીકે શ્રી આઈ.એસ.આહીર, રૂડાના સી.ઈ.એ.શ્રી જી.વી.મિયાણી, કલેક્ટરશ્રીના પ્રતિનિધિ તરીકેશ્રી એ.એસ.ઝાંપડા, મુખ્ય નગર નિયોજકશ્રીના પ્રતિનિધિ તરીકે શ્રી આર.ડી.પરમાર તથા RMCના સીટી એન્જી.શ્રી કે.કે.મહેતા હાજર રહેલ હતા. (રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ) July 3, 2026 No Comments